માંગલિક કાર્ય વિચાર
પુત્રના વિવાહને ‘પ્રવેશ’ અને કન્યાનાં વિવાહને ‘નિર્ગમ’ કહેવાય છે. ચૌલને ‘મુંડન’ કહેવામાં આવે છે. વ્રતબંધને જનોઈ કે ઉપનયન ખવાય છે. અને વિવાહ યાને લગ્ન આ માંગલિક કાર્યો છે. પોતાના કુળમાં (ત્રણ પેઢીમાં) એક માંગલિક કાર્ય થયા પછી છ માસ સુધી મુંડન યાને ચૌલ અને તીર્થાદિમુંડન કરવું નહી. યાને પુત્રનો વિવાહ થાય પછી છ મહિના સુધી નિર્ગમ યાને કે કન્યાનો વિવાહ કરવો નહી. અનિવાર્ય પ્રસંગે આપદ ધર્મ તરીકે સંવત્સર ભેદે આ વિધિ કરી શકાય એટલે કે ફાલ્ગુન સુધીનું એક સંવત્સર અને ચૈત્રથી બીજું સંવત્સર ગણી એક મંગલ કાર્ય ફાલ્ગુન સુધીમાં થયા બાદ અપવાદરૂપે બીજા કાર્ય ચૈત્રાદિ માસોમાં કરી શકાય. તે જ પ્રમાણે વિવાહ પછીનું એક વર્ષ, ઉપનયન પછીના છ માસ તથા ચૌલ પછીનાં ત્રણ મહિના સપિંડમાં પિંડદાન કરવું નહિ. એક જ માતાના પુત્રોના કન્યાઓના અથવા પુત્ર-કન્યાના એક જ પ્રકારના માંગલિક સંસ્કાર એક સંવત્સરમાં કરવા નહિ. ઉદાહરણ તરીકે બે ભાઈઓના કે બે બહેનોના અથવા ભાઈ-બહેનોના વિવાહ સંસ્કાર એક સંવત્સરમાં કરવા નહિ. આપદ ધર્મ હોય તો પણ એક જ સ્થળે, એક જ મુહૂર્તમાં તો તે ન જ કરી શકાય.
ખોવાયેલ વસ્તુ વિશે જ્ઞાન
દિશા | પૂર્વ | દક્ષિણ | પશ્ચિમ | ઉતર |
સમય | વહેલીતકે મળે | ૩ દિવસની અંદર મળે | ૧ મહિનામાં મળશે | મળવાની સંભાવના ઓછી |
નક્ષત્રો
| આંધળા નક્ષત્રો | કાણાં નક્ષત્રો | ચીભડા નક્ષત્રો | દેખતા નક્ષત્રો |
રોહિણી પુષ્ય ઉતરાફાલ્ગુની વિશાખા પુર્વાષાઢા ધનિષ્ઠા રેવતી | મૃગશીર્ષ આશ્લેષા હસ્ત અનુરાધા ઉતરાષાઢા શતભિષા અશ્વિની | આદ્રા મઘા ચિત્રા જયેષ્ઠા અભિજિત પૂર્વાભાદ્રપદા ભરણી | પુનર્વસુ પુ.ફાલ્ગુની સ્વાતી મુળ શ્રવણ ઉતરાભાદ્રપદ |
ઢોર ખરીદવા / પશુઓની લેવડ-દેવડ માટેના સામાન્ય મુહૂર્તો
અશ્વિની અને શતભિષા નક્ષત્રમાં ઘોડાની લેવડ-દેવડ શ્રેષ્ઠ છે. ભરણી-રેવતી નક્ષત્રમાં હાથીની લેવડ-દેવડ શ્રેષ્ઠ છે.
કૃતિકા અને પુષ્ય નક્ષત્રમાં ઘેટા-બકરાં,ગધેડા,ઊંટ વગેરેની લેવડ-દેવડ કરવી.
આદ્રા અને મૂળ નક્ષત્રમાં ઘરમાં પાળી શકાય તેવા પ્રાણીઓ વેચવા અથવા લેવા, જેવા કે કુતરો,પોપટ,મેના વગેરે….
પુનર્વસુ,આશ્લેષા નક્ષત્રમાં ઘરના રક્ષણ માટે બિલાડી,કુતરા વગેરે પાળવાં. ઉતરાફાલ્ગુની,ઉતરાભાદ્રપદા નક્ષત્રમાં ગાયની અને બળદની લેવડ-દેવડ કરવી. પૂર્વાભાદ્રપદા અને ધનિષ્ઠા નક્ષત્રમાં સિંહ સંગ્રહ સ્થાનમાં લાવી શકાય.
ઉતરાષાઢા,અભિજિત નક્ષત્રમાં પાળેલા કુતરા-ઝેરથી બચાવે છે. અનુરાધા,જયેષ્ઠામાં હરણ વગેરે સુવાળા પ્રાણીઓ પાળવા કે દેવા-લેવા ઉપર જે નક્ષત્રમાં જેની લેવડ-દેવડ કરવાનું લખ્યું છે. તેમાં બુધ-ગુરુ-શુક્ર અને શનિવાર હોવા જોઈએ. ઉપરાંત ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૨-૧૩-૧૫ આમાંથી કોઈ એક તિથિ હોવી જોઈએ. ઉપર મુજબ ત્રણેય યોગ મળતા હોય અને પોતાને અનુકુળ ગ્રહદશા હોય તે સમયે ઢોરની કરેલી લેવડ-દેવડ સુખદાયક ગણાય છે.
જમીન-મકાનલેવા બાબત
ગુરુ,શુક્રવારે, ૧-૫-૬-૧૦-૧૧-૧૫ તિથીએ અને મૃગશીર્ષ,પુનર્વસુ,આશ્લેષા,મઘા,પૂર્વાફાલ્ગુની,વિશાખા,અનુરાધા,મુળ,પૂર્વાષાઢા,ઉતરાભાદ્રપદા નક્ષત્રેઘર-જમીનનીલેવડ-દેવડકરવામાટેશુભછે.
દસ્તાવેજો ઉપર સહી કરવાનું મુહૂર્ત
અશ્વિની,રોહિણી,મૃગશીર્ષ,પુષ્ય,ઉતરાફાલ્ગુની,હસ્ત,ચિત્રા,અનુરાધા,ઉતરાષાઢા,ઉતરાભાદ્ર્પદા,રેવતી નક્ષત્રોમાં રિકતાતિથિ (૪-૯-૧૪) તથા અમાસ બાદ કરતાં બુધ,ગુરુ,શુક્રવાર આ દિવસોમાં દસ્તાવેજ ઉપર સહી કરવા માટે શુભ છે.
દુકાનનું મુહૂર્ત
મંગળવાર સિવાય દરેકવારે દુકાનનું મુહૂર્ત કરી શકાય પરંતુ અશ્વિની,રોહિણી,મૃગશીર્ષ,પુષ્ય,ત્રણેય ઉતરા,હસ્ત,ચિત્રા,અનુરાધા,રેવતી નક્ષત્રો તથા શુભલગ્ન (કુંભ લગ્ન ન હોવું જોઈએ) તેમજ લગ્નમાં શુભગ્રહ જોવો જરૂરી છે. ૮/૧૨ માં ભાવમાં પાપગ્રહ ન જોઈએ અને ૨,૧૦,૧૧માં શુભગ્રહ હોવો જરીરી છે.
વેપાર કરવાનું મુહૂર્ત
શુક્લ પક્ષમાં ૧-૪-૯-૧૪ અને કૃષ્ણપક્ષમાં ૪-૯-૧૪-૩૦ તિથિનો ત્યાગ કરી, સોમ-બુધ-ગુરુ-શુક્ર આવારે, અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ,પુષ્ય, ઉતરાફાલ્ગુની, હસ્ત,રેવતી, નક્ષત્રોમાં સારો અનુકુળ ગોચર ચંદ્ર નક્ષત્ર જોઈ વેપારની શરૂઆત કરવી.
યંત્રો ચાલુ કરવાનું મુહૂર્ત
અશ્વિની,પુનર્વસુ,પુષ્ય,હસ્ત,ચિત્રા,અનુરાધા,જયેષ્ઠા,રેવતી નક્ષત્રોમાં સોમ,બુધ,ગુરુ,શુક્ર વારોએ યંત્રો ચાલુ કરવા માટે શુભ છે.
નૌકા સંબંધી મુહૂર્ત
અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી એ નક્ષત્રો તથા રવિ, ગુરુ, શુક્ર આ બધા વારો, તીથ્યાદિ શુભ યોગો અને દ્વિસ્વભાવ રાશિના લગ્નમાં નૌકા બાંધવી,ચલાવવી અને માલ ભરવો વગેરે શુભ છે.
સુતેલી પૃથ્વી જોવાની રીત
જે દિવસે સૂર્યના નક્ષત્રથી ગણતાં ૫-૭-૯-૧૨-૧૯-૨૬ એટલામું નક્ષત્ર આવે તો પૃથ્વી સૂતેલી જાણવી,તેમાં વાવ,તળાવ કે ઘર બાંધવા નહિ.
પ્રથમ શિલાસ્થાપન મુહુર્ત
ગૃહારંભ મુહૂર્તમાં કહેલા મહિના,પક્ષ,વાર,તિથિ,દિવસો તથા નક્ષત્રોમાં અથવા ધર્મ સિંધુમાં કહ્યા પ્રમાણે અશ્વિની, ભરણી, રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉતરાફાલ્ગુની, હસ્ત, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, ઉતરાષાઢા, શ્રવણ, પૂર્વાભાદ્રપદા, ઉતરાભાદ્રપદા, રેવતી નક્ષત્રોમાં અગ્નિકોણમાં મુખ્ય શિલાસ્થાપના કર્યા પછી ત્યારબાદ અનુક્રમે દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ વગેરે ક્રમ લેવો.
ખાત મુહૂર્ત
અધોમુખ નક્ષત્રો જેવા કે ભરણી, કૃતિકા, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, વિશાખા, મૂળ, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ઉપરાંત અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, ઉતરાફાલ્ગુની, હસ્ત, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ, ઉતરાભાદ્રપદા અને રેવતીમાં સોમ, બુધ, ગુરુ અને શુક્રવારોમાં પોતાને તારાચંદ્ર બલ હોતાં પાયો ખોદવાનો આરંભ કરવો.
ગૃહારંભ મુહૂર્ત
(૧)શુભ મહિના
ગૃહારંભ માટે માગશર, પૌષ, ફાગણ, વૈશાખ, શ્રાવણ, વધારામાં કારતક, મહા અને જેઠ પણ નારદ મતે સંમત છે. જયારે નીચેના મહિનામાં દર્શાવેલ સૂર્ય સંક્રાંતિઓ હોય ત્યારે શુભ બને છે. કારતક-વૃશ્ચિક, પૌષ-મકર, મહા-મકર, કુંભ, ફાગણ-કુંભ, ચૈત્ર-મેષ, જેઠ-વૃષભ, અષાઢ-કર્ક, ભાદરવો-સિંહ અને આસો-તુલા, ગુરુ, શુક્રનો અસ્ત ન હોવો જોઈએ. વાર : સોમ, બુધ, ગુરુ, શુક્ર, શનિ (રવિ-મંગળ વજર્ય છે)
(૨)ગૃહારંભના નક્ષત્રો
રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, ઉતરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ઉતરાભાદ્રપદા અને રેવતી આ નક્ષત્રોને ગૃહારંભ માટે શુભ ગણવા.
ત્યાજ્ય તિથિઓ
શુક્લ પક્ષમાં ૧-૪-૯-૧૪, કૃષ્ણપક્ષમાં ૪-૯-૧૩-૧૪-૩૦ ત્યાગવી.વિષ્ટિ (ભદ્રા) કરણ,વ્યતિપાત-વૈધૃતિ વગેરે યોગ ત્યાગવા. લગ્નો ૨-૫-૮-૧૧,કેટલાકોને મતે ૩-૬-૯-૧૨ રાશિનાં લગ્નો લેવા. શુભ ગ્રહયુક્ત તથા શુભ ગ્રહદ્રષ્ટ હોતાં શુભ ગણાય.
વાસ્તુ (નવીન ગૃહપ્રવેશ) મુહૂર્ત
(૧) મહિનાઓ : કારતક, માગશર, પૌષ, મહા, ફાગણ, વૈશાખ, જેઠ, શ્રાવણ (૨) કુંભ મુકવાનું મુહૂર્ત : ૨-૪-૭-૯-૧૨-૧૪ સિવાયની તિથિઓ, સોમ-ગુરુ-શુક્રવારો, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, મઘા, ઉતરાફાલ્ગુની, હસ્ત, અનુરાધા, પૂર્વાષાઢા, ઉતરાષાઢા, ધનિષ્ઠા, શતભિષા, ઉતરાભાદ્રપદા નક્ષત્રો, કર્ક, વૃશ્ચિક, મકર ઉતરાર્ધ અને મીન લગ્નમાં કુંભસ્થાપન કરવું શુભ છે. (૩) વાસ્તુ પ્રવેશ મુહૂર્ત નક્ષત્રો : રોહિણી, મૃગશીર્ષ, પુષ્ય, ઉતરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ઉતરાભાદ્રપદા, રેવતી અને ધર્મસિંધુમાં કહ્યા મુજબ અશ્વિની,પુનર્વસુ,મૂળ નક્ષત્રો શુભ ગણાય.
જુના મકાનમાં પ્રવેશ
કારતક, માગશર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ અને શ્રાવણ માસમાં સોમ, બુધ, ગુરુ અને શુક્રવારે ૪-૯-૧૪ દગ્ધા ( રવિ-૧૨, સોમ-૧૧, મંગળ-૫, બુધ-૩, ગુરુ-૬, શુક્ર-૮, શનિ-૯ ) તિથિ, વદ-૧૩, સુદ-૧ ને છોડી અન્ય તિથિ લઈ શકાય. નક્ષત્રોમાં ધનિષ્ઠા, પુષ્ય, રેવતી, મૃગશીર્ષ, શતભિષા, ચિત્રા, અનુરાધા, રોહિણી, સ્વાતી અને ત્રણેય ઉતરા લઇ શકાય. તેમજ અશુભ નવયોગોના સમયો અને વિષ્ટિ કરણ છોડવા.સમય ને જોતા પુર્વાહન કે મધ્યાહનમાં પ્રવેશ કરવો.
વેવિશાળ (સગપણ-સગાઈ) વિચાર
વરકન્યાનાં મેળાપક વખતે છોકરા-છોકરીનાં જન્માક્ષર જોવા પડે છે. બંનેનાં જન્મનક્ષત્ર અને રાશિ ઉપરથી આઠકૂટ ગુણેક્ય તપસ્યા પછી કુંડલીની પૂર્ણ વિચારણા કર્યા બાદ સંબંધ કરવો યોગ્ય છે. ગુણેક્ય કોષ્ટક બીજા પેજ ઉપર આપેલ છે.
તૃતિય એકાદશ, સમસપ્તક અને દશમ ચતુર્થ રાશિઓના પરસ્પર શુભાશુભ યોગો રાશિ શુભ છે. તેમ નવપંચમમાં વરથી કન્યાને રાશિ પાંચમી, કન્યાથી વરની રાશિ નવમી શુભ છે.વર-કન્યા વચ્ચે દ્વિર્દ્વાદશક હોતાં વરની રાશિથી બીજી રાશિની કન્યા હોવી ઠીક નથી. વરની રાશિથી બારમી કન્યાની રાશિ હોય અને વરની બેકી રાશિ હોય તો શુભ છે.
સમસપ્તક અને દશમ-ચતુર્થ સારાં ગણાય છે. પણ કર્ક-મકર અને સિંહ-કુંભ આ બે સમસપ્તકો વેરપ્રદ અને વૃષભ-સિંહ, કર્ક-તુલા, કન્યા-ધનુ, વૃશ્ચિક-કુંભ, મકર-મેષ અને મીન-મિથુન આ ચતુર્થ દશમ વજર્ય છે.
શુભ નવમાંશ | શ્રેષ્ઠ દ્વિર્દ્વાદશક | પ્રીતિષડાષ્ટક | |||
૯ મેષ વૃષભ મિથુન સિંહ તુલા વૃશ્ચિક ધનુ મકર | ૫ સિંહ કન્યા તુલા ધનુ કુંભ મીન મેષ વૃષભ | ૨ મેષ મિથુન સિંહ તુલા ધનુ કુંભ | ૧૨ મીન વૃષભ કર્ક કન્યા વૃશ્ચિક મકર | ૬ મેષ મિથુન સિંહ તુલા ધનુ કુંભ | ૮ વૃશ્ચિક મકર મીન વૃષભ કર્ક કન્યા |
અપવાદ | |||||
કન્યા | સિંહ | ||||
મધ્યમ નવપંચમ | અશુભ દ્વિર્દ્વાદશક | શત્રુ ષડાષ્ટક | |||
૯ કુંભ મીન કર્ક કન્યા | ૫ મિથુન કર્ક વૃશ્ચિક મકર | ૨ વૃશ્ચિક મકર મીન વૃષભ કર્ક | ૧૨ તુલા ધનુ કુંભ મેષ મિથુન | ૬ વૃષભ કર્ક કન્યા વૃશ્ચિક મકર મીન | ૮ ધનુ કુંભ મેષ મિથુન સિંહ તુલા |
વેવિશાળ (ચાંલ્લો-સગાઇ)નું મુહૂર્ત
પંચાંગ શુધ્ધિ દિવસે ચંદ્ર તારા બળ હોતાં, અશ્વિની, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, મધા, પૂ.ફા., ઉ.ફા., હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, મુળ, પૂ.ષા., ઉ.ષા., શ્રવણ, ધનિષ્ઠા, પૂ.ભા., ઉ.ભા., રેવતી આ શુભ નક્ષત્રો, મંગળવાર સિવાયનાં વારો માંવજર્ય તિથિઓ શુકલ પક્ષમાં ૧-૪-૯-૧૪, કૃષ્ણ પક્ષમાં ૪-૮-૯-૧૩-૧૪-૩૦ આ તિથિઓ ત્યાગી ચાંલ્લા(સગાઇ) કરવાનું મુહૂર્ત આપવું. સૌરાષ્ટ્રમાં અમુક જ્ઞાતિઓમાં ઉપરોક્ત તિથ્યાદિમાં ‘જલ’ દેવાના કાર્યમાં પણ વાપરી શકાય છે.
તૃતિય એકાદશ, સમસપ્તક અને દશમ ચતુર્થ રાશિઓના પરસ્પર શુભાશુભ યોગો રાશિ શુભ છે. તેમ નવપંચમમાં વરથી કન્યાને રાશિ પાંચમી, કન્યાથી વરની રાશિ નવમી શુભ છે. વર-કન્યા વચ્ચે દ્વિર્દ્વાદશક હોતાં વરની રાશિથી બીજી રાશિની કન્યા હોવી ઠીક નથી. વરની રાશિથી બારમી કન્યાની રાશિ હોય અને વરની બેકી રાશિ હોય તો શુભ છે.
સમસપ્તક અને દશમ-ચતુર્થ સારાં ગણાય છે. પણ કર્ક-મકર અને સિંહ-કુંભ આ બે સમસપ્તકો વેરપ્રદ અને વૃષભ-સિંહ, કર્ક-તુલા, કન્યા-ધનુ, વૃશ્ચિક-કુંભ, મકર-મેષ અને મીન-મિથુન આ ચતુર્થ દશમ વજર્ય છે.
કન્યાને ઘાટડીએ અને વરને પાઘડીએ મંગળ
વર-કન્યાની જન્મકુંડળીના પહેલા સ્થાનમાં(લગ્નમાં) અથવા લગ્નથી ચોથા,સાતમા,આઠમા કે બારમાં,આટલા સ્થાનમાંથી ગમે તે સ્થાનમાં મંગળ હોય તો વરને પાઘડીએ અને કન્યાને ઘાટડીએ મંગળ જાણવો અથવા સપ્તમાધિપતિ નીચ હોય કે અન્યોન્ય થકી નીચ બનતો હોય તો મંગળ જેટલો જ દોષ સમજવો.
મંગળના દોષનો અપવાદ
વરને મંગળ હોય અને કન્યાને ન હોય પણ કન્યાની જન્મકુંડલીમાં ૧,૪,૭,૮,૧૨ આ સ્થાનમાંથી ગમે તે સ્થાનમાં શનિ હોય તો તે ઘાટડીએ મંગળ બરાબર ગણાય છે અને તેમના લગ્ન થઇ શકે છે. પરંતુ આટલી બાબત પુરતી નથી.
અપવાદ
વર-કન્યાની કુંડળીમાં ૧લા સ્થાનમાં મેષનો, ૪થા સ્થાનમાં વૃશ્ચિકનો, સાતમાં સ્થાનમાં મકરનો કે મીનનો, ૮માં સ્થાનમાં કર્કનો તથા બારમાં સ્થાનમાં ધનુનો મંગળ હોય તો તેને દોષ નથી.
આ ઉપરાંત ખાસ કરીને કુટુંબાધિપતિ,પાંચમાંધિપતિ,ભાગ્યાધિપતિ અને વ્યયાધિપતિ વિશે પણ ખુબ વિચાર કર્યા બાદ નિર્ણય કરવો જોઈએ.
લગ્ન લખવાનું મુહૂર્ત
વિવાહ (તોરણ-હસ્તમેળાપ) ના દિવસથી ૩-૬-૯ દિવસો છોડી એકી સંખ્યા (૫-૭-૧૧) ના દિવસો અગાવ શુભ તિથ્યાદિમાં લખી શકાય. જેમાં વિવાહના નક્ષત્રો હોતા વધુ સારૂ.
પુર્નવિવાહ મુહૂર્ત
પુર્નવિવાહને મુખ્યત્વે ત્રણ પ્રકારેથી ગણાવી શકાય.
(૧)દમ્પતિ પુનર્વિવાહ
જો કોઈ કારણવસ કોઈના વિવાહ અશુધ્ધ મુહૂર્તમાં થયા હોય તો ફરી પાછા તેમણે શુધ્ધ વિવાહ મુહૂર્તમાં લગ્ન કરવા જોઈએ.
(૨) પુરુષ પુર્નવિવાહ
જો કોઈ કારણવસ (પત્નીનું મૃત્યુ, સંતાનનો અભાવ વગેરે…)પુરુષને બીજા વિવાહ સુધી ધર્મશાસ્ત્રીય બાદ નથી.પરંતુ જો ત્રીજા વિવાહ કરે તો પ્રથમ અર્ક વિવાહ કરી પછી કન્યા ‘સ્ત્રી’ સાથે વિવાહ કરવા જોઈએ. આ વિવાહ પત્નીનાં મૃત્યુ પછી થતા હોય તો પત્નીના મૃત્યુના એકી વર્ષમાં (૩,૫,૭) કરવા જોઈએ.
(૩) સ્ત્રી પુનર્વિવાહ
જો વિધવા સ્ત્રી કે ત્યકતા સ્ત્રી પુનર્વિવાહ કરવા ઈચ્છતિ હોય તો ભાવિ પતિ સાથે અન્ય કોઈ પણ બાબતનો વિચાર ન કરતા ફક્ત બ્રહ્મપટ્ટ / રૂદ્રપટ્ટનો જ વિચાર કરવો.
બ્રહ્મપટ્ટ
સૂર્યના નક્ષત્રથી ગણતા દિન નક્ષત્ર સુધીના ૩-૩ નક્ષત્રના ૯ ભાગ પડતા ૧- મૃત્યુ,૨-ધનલાભ,૩-મૃત્યુ,૪-મૃત્યુ,૫-પુત્રલાભ,૬-મૃત્યુ,૭-દુર્ભાગ્ય,૮-લક્ષ્મીપ્રાપ્તિ, અને ૯-પ્રગતિ મુજબનું ફળ સમજવું.
રૂદ્રપટ્ટ
સૂર્ય નક્ષત્રથી અભિજિત સહીત ગણતરી કરતા ચોથું,અગિયારમું, અઢારમુ અને પચ્ચીસમુ નક્ષત્ર છોડી અન્ય નક્ષત્રમાં વિવાહ કરી શકાય છે. એક કરતા વધારે વખત લગ્ન કરનારી સ્ત્રીને “પુનર્ભૂ” કહે છે.
બધા કર્યો માટે સાધારણ દિનશુદ્ધિ :
શુભ તિથિ
૨, ૩, ૫, ૭, ૧૦, ૧૧ વદિ પક્ષની ૧ તથા સુદિ પક્ષની ૧૩ શુભ છે. શુભ તિથિમાં પણ ક્ષય વૃધ્ધિ તિથિ વદ પક્ષની ૧૩, ૧૪, ૩૦ અને શુક્લ પક્ષની ૧, ૪, ૯ અને ૧૪ રિકતા તિથિ દરેક શુભ કાર્યમાં ત્યાજ્ય છે. શુભવાર : સોમ, બુધ, ગુરૂ અને શુક્ર વારો શુભ ગણવા. શુભ નક્ષત્રો : અશ્વિની, રોહિણી, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, ઉતરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતી, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ઉતરાભાદ્રપદા અને રેવતી આ નક્ષત્રો શુભ છે. શુભ કરણો : બવ, બાલવ, કૌલવ, તૈતિલ, ગર અને વણિજ આ વગેરે કરણો શુભ ગણાવી શકાય.
મુહૂર્તમાં ત્યાજ્ય સમય
પંચાંગના દૈનિક યોગોમાંનો ૧૭ મો વ્યતિપાત અને ૨૭ મો વૈધૃતિ-વ્યતિપાત મહાપાત, ગ્રહણ, ક્ષયવૃધ્ધિ તિથિ, વિષ્ટિ સળંગ અશુભ છે. આ ઉપરાંત યોગોમાં પરિઘ (પ્રથમઅડધું), વ્યાઘાત (03.૩૬કલાક), અતિગંડ (0૨.૨૪કલાક), વિષ્કુંભ (૦૧.૧૨કલાક), ગંડ (૦૨.૨૪ કલાક), શૂલ (૦૨ કલાક), વજ્ર (૦૧.૧૨ કલાક) ત્યાગવાં. વારની દ્રષ્ટિએ જોતાં રવિ, મંગળ, શનિવાર ત્યાગવાં પરંતુ રવિવારે રજા હોતાં હાલ લગભગ કર્મમાં લોકો ઉપયોગ કરતા થયા છે.
કમુહૂર્તા
ધનાર્ક એટલે માગશર-પૌષ માસમાં ધનુ સંક્રાંતિ દરમ્યાન તેમજ મીનાર્ક એટલે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમ્યાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો વજર્ય છે. ક્ષીણ ચંદ્ર-વદ પાંચમ પછીના કૃષ્ણપક્ષનો ચંદ્રમાં(તારાબલ જોયા વગર)લેવો નહિ.
તારા બલ (નક્ષત્ર બળ)
કૃષ્ણ પક્ષમાં ચંદ્ર ક્ષીણ થતો હોવાથી તારાનું બળ જોવું, જન્મ ચંદ્ર નક્ષત્રથી ઇષ્ટ દિવસે ૩-૫-૭-૧૨ ૧૪-૧૬-૨૧-૨૩-૨૫ મી તારા (ગોચર ચંદ્ર નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મનક્ષત્ર વર્જવું.
તાત્કાલિક મૈત્રી
જન્મ અથવા પ્રશ્નાદિકની કુંડલીમાં કોઇપણ સ્થાને કોઈપણ ગ્રહ હોય તેનાથી બીજે, ત્રીજો, ચીથે, દશમે, અગિયારમે કે બારમે સ્થાને રહેલા ગ્રહો તેના મિત્રો થાય છે, અને ઈતર સ્થાનમાં એટલે કે ૧-૫-૬-૭-૮-૯ સ્થાનમાં રહેલા ગ્રહો તેના શત્રુ થાય છે.
ગ્રહોના ઉચ્ચ-નીચ તથા સ્વગૃહી રાશિનો કોઠો
ગ્રહ | સૂર્ય | ચંદ્ર | મંગળ | બુધ | ગુરુ | શુક્ર | શનિ | રાહુ |
ઉચ્ચ રાશી ઉચ્ચ અંશ | મેષ ૧૦ | વૃષભ ૩ | મકર ૨૮ | કન્યા ૧૫ | કર્ક ૫ | મીન ૨૭ | તુલા ૨૦ | મિથુન ૧૫ |
ભાગ્ય વર્ષ | ૨૨ | ૨૪ | ૨૮ | ૩૨ | ૧૬ | ૨૫ | ૩૬ | ૪૨ |
નીચ રાશિ નીચ અંશ | તુલા ૧૦ | વૃષભ ૩ | કર્ક ૨૮ | મીન ૧૫ | મકર ૫ | કન્યા ૨૭ | મેષ ૨૦ | ધનુ ૧૫ |
મૂલત્રિકોણ રાશિ | સિંહ | વૃષભ | મેષ | કન્યા | ધનુ | તુલા | કુંભ | કુંભ |
સ્વગૃહી રાશિ | સિંહ | કર્ક | મેષ વૃશ્ચિક | મિથુન કન્યા | ધનુ મીન | વૃષભ તુલા | મકર કુંભ | કન્યા |
નૈસર્ગિક ગ્રહમૈત્રી ચક્ર
ગ્રહ | સૂર્ય | ચંદ્ર | મંગળ | બુધ | ગુરુ | શુક્ર | શનિ | રાહુ |
મિત્ર | ચંદ્ર મંગલ ગુરુ | સૂર્ય બુધ | સૂર્ય ચંદ્ર ગુરુ | સૂર્ય શુક્ર રાહુ | સૂર્ય ચંદ્ર મંગળ | બુધ શનિ રાહુ | બુધ શુક્ર રાહુ | બુધ શુક્ર શનિ |
સમ | બુધ | મંગળ ગુરુ શુક્ર શનિ | શુક્ર શનિ | મંગળ ગુરુ શનિ | શનિ રાહુ | મંગળ ગુરુ | ગુરુ | ગુરુ |
શત્રુ | શુક્ર શનિ રાહુ | રાહુ | બુધ રાહુ | ચંદ્ર | બુધ શુક્ર | સૂર્ય ચંદ્ર | સૂર્ય ચંદ્ર મંગળ | સૂર્ય ચંદ્ર મંગળ |
પંચધા મૈત્રીની સમજ
અધિમિત્ર, મિત્ર, સમ,શત્રુ, અધિશત્રુ, નૈસર્ગિક મૈત્રી અને તાત્કાલિક મૈત્રી,બંનેમાં મિત્ર હોય તે અધિમિત્ર કહેવાય. એકમાં મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય.એકમાં શત્રુ અને બીજામાં મિત્ર તે સમ કહેવાય.એકમાં સમ હોય અને બીજામાં શત્રુ હોય તે શત્રુ કહેવાય.એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હોય તે અધિશત્રુ કહેવાય.
ગ્રહોની અવસ્થાનો કોઠો
બેકી રાશિ અંશ સુધી | અવસ્થા | એકી રાશિ અંશ સુધી |
૨૫ થી ૩૦ ૧૯ થી ૨૪ ૧૩ થી ૧૮ ૦૭ થી ૧૨ ૦ થી ૦૬ | બાલાવસ્થા કુમારાવસ્થા યુવાવસ્થા વૃધ્ધાવસ્થા મૃતાવસ્થા | ૦ થી ૬ ૭ થી ૧૨ ૧૩ થી ૧૮ ૧૯ થી ૨૪ ૨૫ થી ૩૦ |
કરિ દિવસ
ગ્રહણ,હોળી,પ્રેતદાહ વિધિ દિવસ,ભાવુકા (વૈશાખ) વદ-૩૦ અને અયન સંક્રાંતિ દિન પછીનો દિવસ કરિ દિવસ ગણાય. આથી કરિદિન અને તેની પૂર્વનો (આગળનો) દિવસ આવા બન્ને દિવસો શુભ કાર્યમાં ત્યાગવા.
પાપ ગ્રહયુક્ત નક્ષત્ર
જે નક્ષત્રમાં યંત્ર હોય તે નક્ષત્રમાં ક્રૂર ગ્રહ (મંગળ,શનિ,રાહુ,કેતુ) હોય તો તેને પાપગ્રહ યુક્ત નક્ષત્ર કહેવાય જે દોષાત્મક કહેવાય પરંતુ જો ચંદ્ર વર્ગોતમ શુભગ્રહ (ગુરૂ,શુક્ર,બુધ) ની સાથે પોતાની રાશિ (કર્ક),ઉચ્ચ રાશિ (વૃષભ) કે મિત્ર રાશિ (સિંહ,મિથુન, કન્યા) માં હોય તો દોષ રહેતો નથી.
ત્રિજયેષ્ઠ વિચાર
જેઠ માસમાં મોટો પુત્ર અને મોટી પુત્રીનાં વિવાહ ન કરવા.જયારે ત્રણમાંથી બે જેઠ હોતા મધ્યમ ગણવા.